SATPANTHI'S BLOG

સત્ય નિ હુંકાર

(17). બહુ મજા આવે છે, બીજાની મજાક ઉડાવાની

હેય શાંતિલાલ,


તમે જાગો છો હજુ ? મને એમ કે સુઈ ગયા હસો. 
તમે તો હજુ પણ બધાને હળી કરો છો શાંતિલાલ.. 
બહુ મજા આવે છે, બીજાની મજાક ઉડાવાની?

યાર હું તમારા ગણા દિવસથી ખબર પુછવાના ભૂલી ગયો હતો. પેટ માં રોટલા પણ જોઈએ એટલે ધંધો પણ કરવો પડે ને શાંતિલાલ...
તમારા જેવું ક્યાં છે..

મને અને આપણી સમાજને એ કહો કે તમે ચાય પીવો છો કે નહિ?  પીવો છો તો કેટલી કડક અને ગરમ ચાય પીવો છો ? 
અને જો બહુ કડક અને ગરમ પિતા હોય તો એ શરીર માટે નુકસાન કરે. અને નુકસાન કરે તો તમે જલ્દી ઉકલી જાવ, અને જો તમે જલ્દી ઉકલી જાવ તો આવો તમારા જેવો બેજોડ નમુનો બીજો અમને ગોતવો ક્યાંથી.. . 

સાલું આતો સમાજને બહુ મોટું નુકશાન થાય. આવો હોનહાર, હોશીઆર, તીવ્ર બુદ્ધિવાળો, સમાજ માટે આટલી બધી આગવી સુજ વાળો, સમાજની રાત ને દિવસ ચિંતા કરનારો, હમેશા અશાંતિને વરેલો તેજસ્વી યુવાન.. ટુબ લાઈટ લઈને ગોતવા જઈએ તોય ના મળે..

અરે ..રે ..હું બીજું પૂછવા નું ભૂલી ના જવું પાછો.. 

આપડા શાંતિલાલ, આજે તમે જે ચાય પીધી, તેમાં કેટલી ચમચી ખાંડ નાખી હતી?  ખાસ યાદ રાખીને ગણી ને કેજો ભૂલ ના થાય.
જો એમાં ભૂલ થાય તો ખબર નહિ પડે કે તમે કેટલી ચમચી ખાંડ ખાધી. વધુ ખાંડ શરીરને નુકસાન કરે. નુકશાન કરે તો પાછું ઉપર વાળી જ થાય ....
સમજી ગયા ને કે ફરી આખું લખું..
યાદ રાખજો પાછા..ભૂલી ના જતા..

અને જો તમે ચાય નથી પિતા તો કેમ નથી પિતા?   અને ક્યારથી??   અને નથી પિતા તો શું પીવો છો દૂધ કે પછી કંઈક બીજું ? 
મેં સમ્ભ્લીયું  છે માયા નગરી મુંબઈમાં આપણા ભાઈઓ બીજું બહુ પીએ છે.. શું સાચી વાત છે. તમે તો એમાંના નથી ને. ok ok ..

અને જો તમે દૂધ પીઓ છો તો એ ક્યારથી અને જો નથી પિતા તો ક્યારથી? પણ સારી વાત એ છે કે જો તમે દૂધ પિતા હોય તો એ તો તબિયત માટે બહુ જ સારું છે. પણ યાર શાંતિલાલ, દૂધ તો ભેસ કે ગાય નું હોય અને તેના ઉપર તો તેના બચ્ચાઓનો ( વાછડાઓ ) અધિકાર હોય .. આપણે પીએ તો એતો અનહક નું થયું..અને આપડે પી જઈએ તો વાછાડું શું પીએ..તેની તબિયત સારી ના રહે..આતો અન્યાય થાય.. યાર તમારે દૂધ ના પીવું જોઈએ.
અને તેમ છતાં તમને પીવું હોય તો તે શા માટે? અને કેવી રીતે..જવાબ આપસો...ગ્લાશમાં કે સીધું આંચલ માં? અને કેટલું પીસો એ પણ જનાવસો? 

આનાથી  આપણી આખી સમાજને તમારી અંદર છુપાયેલો અમૂલ્ય ખજાનો કે જે જ્ઞાનનો ભંડાર પડેલો છે તેનો લાભ મળે. અમે પણ તમારી આ બુદ્ધિનો લાભ લઈને ધન્ય થઇ જઈએ. અમારો આ અમૂલ્ય માનવ અવતાર પાવન-પાવન થઇ જાય.. 
માટે  એક પણ પ્રશ્નના જવાબ દેવાનું રહી ના જાય..તેનો ખટકો રાખજો...

તમારો પરમ મિત્ર અને સૌનો હેતેચ્છું,


    - HASMUKH DHOLU,
      London


ખાસ નોધ: આપણી સમાજના હસતા-ખેલતા પ્રિય ભાઈઓ-બહેનો,  નીચે આપેલ ઉત્સાહી સમાજ સેવક શાંતિલાલનો ઈમેલ વાંચવાનો તમે પાછા ભૂલી ના જતા અને તેમનો ઉત્સાહ વધારસો... જેનો મેં ઉપર જવાબ આપ્યો છે..મારાથી કોઈ પ્રશ્ન રહી ગયા હોય તો શાંતિલાલનો ફોન નંબર તેમને જાતે સાથે આપેલ છે. તેમને તમે સીધો ફોન કરી ને લાભ લઇ શકો છો. તેવો એક ઇન્સ્યુરન્સ કંપનીના કંઈક છે તે પણ લાભ મળશે...જય માતાજી ..



=================================================================================================
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
2010/10/22 POKAR SHANTILAL
 
From,
Shantilal L.Pokar,
Dombivli,
Mob:૯૨૨૩૫૭૦૫૫૪ 

Nandlal bhai jai umiya mataji,
 
hu aapni vaatne teko aapu chu,
Satpanth bhaio jawab Aape,
Su pirana ma navratri mahotsav ujvo chho ane ujavata ho to kyarthi, ane nathi ujavata to sa mate.
jai માતાજી


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

0 comments:

Post a Comment

કોઈ તો વાંચે છે .



આપ શું માનો છો વર્તમાન પ્રમુખ સાહેબ ને પોતાના પદ થી રાજીનામો આપી દેવો જોઈએ ?

????

Blog Archive