SATPANTHI'S BLOG

સત્ય નિ હુંકાર

(26). ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે અને તે વ્યક્તિગત બાબત છે



રાજેશભાઈ,
કોને કેમ કરવું જોઈએ અને કોને કયું ટ્રેડીશન અને ધર્મ પાળવો જોઈએ, તે આપણે કે કોઈએ પણ કેવાની જરૂર નથી..
કારણ ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે અને તે વ્યક્તિગત બાબત છે, ભાઈ...

ધર્મ એ એક વિચાર ધારા છે, ધર્મ આપણને સારાપણું આપે છે, ખરાબપણું આપણા અંદર થી કાઢે છે. 
ધર્મ આપણા અંદર આવતા નબળા વિચારોને કે નબળા કર્મ કરતા રોકે છે,   
ધર્મ જીવનને સરળ કેવી રીતે બનાવવું અને જીવવું તે શીખવે છે.
ધર્મ આપણા અંદર રહેલ નિંદા, કામ, ક્રોધ, ઈર્ષ્યા, છલ-કપટ જેવા વિકારો કાઢવામાં મદદ કરે છે, અને બીજા ના ગુસી જાય, તેને આવતા કેમ રોકવા તે સમજ સીખડાવે છે. 

...જો એક ધર્મ મહાન અને બીજો ખરાબ એવું જ હોય તો કદાચ આ દુનિયામાં બધા એક જ ધર્મ પાળતા હોત. 
કોઈ પણ માણસ ખરાબ ધર્મ પાળવાનું સુકામ પસંદ કરે ..? 
બધા જ સારો ધર્મમાં જ શ્રદ્ધા રાખે કે જે ધર્મ તેમનો ઉદ્ધાર કરે અને આ મહા-મૂલ્ય માનવ જન્મ સિદ્ધ થઇ જાય. 

સ્વામી નારાયણ વાળાને પોતાનો ધર્મ મહાન લાગતો  હોય તો લક્ષ્મી નારાયણ વાળાને પોતાનો ધર્મ મહાન લાગતો હોય....
અને  નિષ્કલંકી નારાયણમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા સત્પન્થીને પોતાનો ધર્મ મહાન લાગતો હોય. 

અને દરેકને પોત-પોતાનો ધર્મ મહાન લાગવો જ જોઈએ...તેના માટે ગર્વ હોવું જ જોઈએ..
પણ ખાસ વાત કે, પોતાનો ધર્મ મહાન લાગવાથી કોઈનો ધર્મ નબળો કે ખરાબ નથી થતો..અને એવું કેવું પણ નાં જોઈએ..એવું વિચારવું
એ જ એક અધાર્મિક માણસની પેહલી નિશાની છે, તે તેની અજ્ઞાનતા છે..અને અજ્ઞાની ને નેતા કે લીડર ના બનાવાય. 
એ હમેસા વિનાસના પંથ ઉપર જ લયી જાય..
એટલે જ કહ્યું છે કે નબળાનો સંગ ના કરવો, તે નીસ્ચેય નરકમાં લયી જાય..   

ઉપર કહ્યું તેમ પૂજન બધાજ નારાયણનું કરે છે, નારાયણ એટલે વિષ્ણુ ભગવાન...
લક્ષ્મી નારાયણમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારા લક્ષ્મીજી અને નારાયણ ની પૂજા-અર્ચના કરે છે,  

તેવી જ રીતે સતપંથમાં પણ બ્રહમાં-વિષ્ણુ-મહેશ ની પૂજા-અર્ચના કરે છે અને આધ્ય શક્તિ મા ની અખંડ જ્યોતિ જલતી રાખે છે..
અને શ્રી નિષ્કલંકી નારાયણના સિહાસનની પૂજા, ભરત અને સબરી ભાવે કરે છે અને રાહ જોઈએ છીએ કારણ કે એક દિવસ મહા પ્રભુ શ્રી નિષ્કલંકી નારાયણ જરૂર આવશે...

આપડી સમાજ માં મત-ભેદ (વિચાર-ભેદ) હોય પણ મન-ભેદ ના થાય, 
સંપ અને શાંતિ રહે એવા પ્રયત્નો કરીએ....

ખરેખર જો બહુજ ચિંતા થતી હોય તો:

- જે લોકોને કોઈ પણ ધર્મમાં જ  શ્રદ્ધા નથી, જે નાસ્તિક છે, તેમને સત નો રાહ બતાવો, એટલે કે ધર્મનો પંથ બતાવો, પુણ્ય થશે.
- દુનિયામાંથી આંતકવાદને બંધ કરાવીએ.
- વેશ્યા-વાડા બંધ કરાવો,
- દેશમાં ભ્રષ્ટાચાર ખુબ જ વધી ગયો છે તે બંધ કરાવો.
- દેશને સારા સંચાલન માટે સારા નેતાની જરૂર છે, તમે જિજ્ઞાસુ છો, કદાચ સેટ થવાય તો જુવો.
- દારૂ ની પેદાસ અને ધંધા બંધ કરાવો જેથી ગણા પરિવાર બચી જાય. 
- દુનિયામાં અને ભારતમાં કેટલાય ગરીબો એવા છે કે જેને ભૂખ્યા સુઈ જવું પડે છે. ગરીબોને બે સમય ખાવા સુકો રોટલો પણ નથી, તેમને કામ કરીને કમાઈ સકે તેવા પ્રયત્ન કરો, જેથી રોજી-રોટી મળે. 
- હોસ્પિટલ બનાવીએ જેથી માંદાને સારવાર મળે અને મરતા માણસો બચી જાય.
- સ્કુલ - કોલેજ બનાવીએ ને education વધારીએ, જેથી આવતી પેઢી ધનથી સુખી થાય, તો ઘરમાં સંપ-શાંતિ રહે અને જીવન ધોરણ સુધરે.

અને જો દુનિયા કરતા પેહલા સમાજની ચિંતા હોય તો સમાજમાં પણ એવા ગણા બધા પરિવાર છે કે 
જેને તમારા જેવા પરોપકારી, નિસ્વાર્થી અને જિજ્ઞાસુ ની જરૂર છે.

માટે ભાઈ, તમે સમાજ ની ચિંતા કરો છો તે સારી જ વાત છે..તો હું પણ તમારા જેવા જ વિચારો ધરાવું છું, 
તો આપણે બધા સરખા વિચારો વાળા ભેગા થયીને સમાજ માટે
અને દેશ માટે કંઈક એવું કરીએ કે જેનો બધાને લાભ મળે. 
સાથે સાથે આપને પણ સુખ-શાંતિ મળે અને આવતી આપડી પેઢી પણ સુખી થાય, તેવું કંઈક કરીએ. 

તમારી જિજ્ઞાસાને જીવતી રાખજો દોસ્ત, જેથી તેનો લાભ સમાજ-દેશને મળે. આપડે બધા ભેગા થયીને સારા હેતુ લક્ષી કામો કરી લઈએ. 
કોને ખબર જિંદગી કેટલા વરસ કે દિવસ કે પળ જીવવા મળશે. આપણે કોઈ અમર-પટો તો લઈને નથી જ આવ્યા...ગમે ત્યારે ઉકલી જસુ..

ભલે ભાઈ, પવિત્ર વિચારોની ગંગા ને વહેતી રાખીએ અને આપડે બધા તેમાં સ્નાન કરીએ ને બીજાને પણ લાભ આપીએ.
આભાર,

આધ્ય શક્તિ ઉમિયા માની જય, 
સતપંથ સનાતન ની જય,
નિષ્કલંકી નારાયણની જય,
લક્ષ્મી નારાયણની જય,
સ્વામી નારાયણની જય,

       - હસમુખ પટેલ, લંડન 


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

0 comments:

Post a Comment

કોઈ તો વાંચે છે .



આપ શું માનો છો વર્તમાન પ્રમુખ સાહેબ ને પોતાના પદ થી રાજીનામો આપી દેવો જોઈએ ?

????

Blog Archive