SATPANTHI'S BLOG

સત્ય નિ હુંકાર

(13). સત્પનથીઓની દસુન્દ અને દાન ખાવા માટેના નાટકો છે આ બધા..સમાજના દુશ્મનો ની પોલ-ખોલ કાર્યક્રમ

સમાજના ભાઈઓ અને બહેનો,

સમાજના દુશ્મનો ની પોલ-ખોલ કાર્યક્રમ:

 આ તો સત્પનથીઓની દસુન્દ અને દાન ખાવા માટે ના નાટકો છે. 
સત્પનથીઓના પૈસે દેસલપુરનો પ્રોગ્રામ કરવાનો છે. એટલે જ એ મહાન સત્પંથ ધર્મ ની નિંદા મજાક ઉડાવે છે અને નબળું બતાડવા ની કોસિસ કરે છે ..
બાકી ખબર તો તેમને પણ છે કે આ એક મહાન ફિલોસોફી ધરાવતો મહાન ધર્મ છે..
પણ અહી પીરાણામાં તેમને બધાને વહીવટ કરવા ના મળે, અને વહીવટ ના મળે તો દાન-દસુન્દના રૂપિયા ખાવા ના મળે..માટે આ બધા નાટકો કરાય છે..

સાચી વાતોને સંતાડીને, ખોટી વાતોને સાચી પુરવાર કરવાના નાટકો ..આને ઈંગ્લીસ માં કહેવાય :  conspiracy  theory ..અને આવું કરનાર ને : conspirator..
અને  ગુજરાતીમાં કાવતરા અને કાવતરાખોર કહેવાય.
નહીતો પોતે જો મહાન કાર્યો  કરતા હોય તો બીજા ના કાર્યોને નબળા બતાડવાની ક્યાં જરૂર છે.!!
જો પોતે જે રૂપાળા જ  હોય તેને બીજા ના કદરૂપાપણા ની ઈર્ષ્યા કરવાની ક્યાં જરૂર જ છે..તેતો નીચતાની નિશાની છે. બીજાને હલકા બતાવીને પોતે કેટલા સારા છે, તેવું બળજબરી પૂર્વક 
દેખાડવું...નરી નીચતા છે..અહી તેમને બધાને સત્પંથ ધર્મ ની અને પીરાણા ની ઈર્ષ્યા થાય છે, કારણ કે પીરાણા સત્પંથ હરી ભક્તો, તેમની ભાવના થી અઢળક દાન દસુન્દ આપે છે..અને એ દસુન્દ ખાવી છે પોતાને..

આમને શાંતિદાસ મહારાજ સાથે ના ફાવ્યું,તેમની સાથે વાંધો છે, 
આમને ભણસાળીઓએ કાઢી મુક્યા છે, તેમની સાથે વાંધો છે,
આમને વાન્ધાય ઉમિયા માતાજી સંસ્થા સાથે વાંધો છે ,
આમને પહેલાના આપણા વડીલો જે વહીવટ કરી ગયા તે વડીલો સાથે વાંધો છે,
આમને સત્પંથ સાથે વાંધો છે, 
આમને પાટીદાર સંદેશ સાથે વાંધો છે,
આમને RSS  સાથે વાંધો છે,
આમને વિશ્વ હિંદુ પરિસદ સાથે વાંધો છે,
આમને અખિલ ભારતીય સંત સમિતિ સાથે વાંધો છે,
આમને પીરાણા સાથે વાંધો છે,
આમને સદ્ગુરુ સાથે વાંધો છે,
આમને આધ્ય કલયુગના વિષ્ણુના અવતાર મહા-પ્રભુ શ્રી નિષ્કલંક નારાયણ સાથે વાંધો છે,
આમને  કરસન દાસ મહારાજ સાથે વાંધો છે,
આમને ચેરીટી કમીસનાર સાથે વાંધો છે,
આમને  ભારત ના મૂળભૂત બંધારણો સાથે વાંધો છે,
આમને ભારત ના કાયદાઓ સાથે વાંધો છે,

આવા -આવા કેટલાય મુદ્દાઓ સાથે આમને વાંધાઓ છે.. કાલે તમારી સાથે અને મારી સાથે પણ વાંધો નહિ થાય તેની સુ ખાતરી છે..
સ્વાર્થ થી બંધાયેલા સંબધો ક્યારેય લાંબા ચાલતા નથી..માટે વિનંતી કે તેવા સંબંધો ના બંધાસો..મન, આત્મા અને હૃદય જેમાં સાથ આપે એવા જ સંબંધો સાચા છે અને હમેસા ચાલે.

આ લોકોની એ જ પોલીસી છે  કે , " અંગ્રેજોની જેમ ઝગડા કરાવો અને રાજ-વહીવટ ભોગાવો "  ..માવા - મલાઈ ખાવો..

આપડા પૈસે,.. હા આપડા બધાના પૈસે તે તાગડ-ધીના કરવા માંગે છે. 
માટે દાન આપવાનું બંધ કરો, જાતે સીધા થઇ જાશે. 

આપણે દાન આપવા નું બંધ કરીએ ને પછી જુઓ મજા, 
આમાંથી કોઈ પણ મા નો  લાલ સમાજની સેવા કરવા માટે આવે તો કહેજો.. 
તે બધા પોતાના રૂપિયે ટીકીટ ખર્ચીને જાય તેમ પણ નથી..ઉપર થી બાજુ વાળા ના ખીસા કાપી લે તેમ છે...તો સમાજ સેવા સુ ખાક કરવાના છે..

નહી તો ગેર-રસ્તે આપડા પૈસા વપરાશે..તે ચોક્કસ વાત છે.
લાખો રૂપિયા પહેલા પણ ચાવી ગયા છે..

સમાજના બીજા સભ્યોના, કોઈના પણ વિચારો સમાજના વિકાસમાં રાખવા નથી, ને દાન બધા નું જોઈએ છે.

આ લોકોનો નાટ્યાત્મક નાટક કેવી રીતે અને ક્યાં થી સારું થાય છે એ તમોને પહેલા સમજાવું :
એ પહેલા અલગ અલગ સમાજમાં જઈને મીટીંગ કરશે, તમારી પાસે આવશે અને કહેશે કે અમે કાંઈજ લેવા તમારી પાસે નથી આવ્યા..
અમે દાન લેવા નથી આવ્યા પણ તમોને સુવર્ણ મહોત્સવ અને દેસલપરના કાર્યક્રમ માટે આમંત્રણ આપવા આવ્યા છીએ. અમોને તમારી પાસે થી કાંઈજ નથી જોઈતું. 

દેસલપરમાં મંદિરને હવે ૫-૬ મહિના બાકી છે. એમ કહીને ક્યાંથી કેટલા પૈસા ઉગારાવ્યા અને કેટલા બચ્યા તેનો હિસાબ આપવા લાગશે.
તે  હિસાબો સાથે તમોને કોઈજ લેવા-દેવા નાં હોય તો પણ ૧૫ -૨૦ મિનીટ હિસાબો જણાવશે. કારણ કે એ બતાવવા માંગે છે કે કામ થાય છે. સુવર્ણ મહોત્સવ પ્રમાણે લાખો રૂપિયા ચાવી-ખાઈ નહિ જાય. 
પછી  સ્કુલ અને કન્યા શાળા ની વાતો કરશે.
પછી સત્પન્થનો વિરોધ કરશે.

વિરોધ એટલો બધો કરશે કે તે પોતેજ ભૂલી જાય કે લોકોને મુર્ખ બનાવવા માટે, તેમને જાતે બનાવેલી સત્પંથની ખોટી  સ્ટોરી લોકોને જાતે મુર્ખ બન્યાનો એહસાસ થાય. 
હા, આ હું નથી કહેતો..જે લોકોએ તેમની જાહેર સભાઓ માં હાજરી આપી છે તે લોકો કહે છે.

પણ કોઈ બોલે નહિ. અને સત્પંથ નો વિરોધ કરવા માટે બનાવેલી ખોટી ખોટી સ્ટોરી સમાજના લોકોને પચતી નથી તો પણ આ લોકો  દીધે જ રાખે.  
હિમત, રમેશ અને જયંતી તો એટલું જોર-જોર થી બોલે કે લોકોના કાન દુખવા લાગે. પ્રેમજી પણ નાટક જ છે પણ તે ચતુર છે..તે ધીમે ધીમે 

ખરું જોવા જઈએ તો જેમ તેમણે સરુમાં કીધું તેમ કાર્યક્રમ માટે આમંત્રણ આપવા જ આવ્યા છે. તો પછી અહી અત્યારે 
સત્પંથ ધર્મ અને તેમના સદ્ગુરુ શ્રીની નિંદા અને મજાક કરવાનું ક્યાં આવે છે???
ભૂતકાળ બતાવવાની ક્યાં જરૂર છે. પણ ના, એ તો ખાસ મુદો બનાવશે..આખી સભાનો..

પણ આ બધું જ બંધ બારણે થયેલ ૬-૮ જણા ની મીટીંગમાં નક્કી થયેલ છે કે, કયા કયા મુદ્દાઓ બોલવા જેથી કરીને સભ્યોને 
આપણી  બાજુ ખેચી સકાય. 
તેમાં સામાજિક રીતે આવતી ઔપચારિક માહિતી તો આપવી પડે. 
પણ તેમણે ખબર છે કે સત્પનથી પણ જો આમાં જોડાઈ જાય તો સત્પંથી જે પીરાણા દસુન્દ અને દાન આપે છે તે પણ આપણ ને મળે, જેથી આપણા 
કાર્યક્રમ માં રૂપિયા ખૂટે નહિ. અને હમેસને માટે આપણી દુકાન ચાલુ રહે. આવી મેલા ઈરાદા થી સમાઝ માં જગડા કરાવી ને પોતાની રોટલી સેકે છે. 

અહી એક કાંકરે બે પક્ષી મારવા ની કોસિસ કરે છે.
તમે બધા તેમના માટે ફક્ત દાન આપવા જ વાળા છો. તે ફક્ત તમારો અને અમારો ઉપયોગ જ કરે છે.
તમારી ભાવનાઓની તેમને કાંઈજ પડી નથી.
તે આપણ ને બધા ને મુર્ખ બનાવે છે.

આપણને જગડાવે છે. તેમણે સમાજ ની કોઈજ ફિકર નથી. સમાજ એટલે તેનો એક એક સભ્ય..એક એક જીવ..
તેમાંથી કોઈને પણ દુખ ના થાય અને સમાજ એક થઈને રહે ..તેની તેમણે કોઈને પડી નથી..

આવા કાર્યક્રમો યોજી ને તે લોકો તમારા અને મારા કરોડો રૂપિયા પોતાના ઘર ભેગા કરશે. નહીતો સુ જરૂર છે, 
એક એક ગામ માં જવાની..દાન  ઉગારાવવા માટે.. 

આમંત્રણ તો પત્રિકા છપાવી ને પણ આપી સકાય..
આમંત્રણ તો સ્થાનિક સમાજના પ્રમુખ -મંત્રી દ્વારા પણ સમાજ આખાને આપી સકાય. આ જ તો ખરી રીત છે. 
ગામે ગામ ફરવાની ક્યાં જરૂર છે..પણ ના..એવું ના કરે તો ખબર છે કે કોઈ દાન નહિ આપે..અને આ બહાને સત્પંથ ને પણ તોડીએ..
આપડો વાળો મોટો બનાવીએ..અને આવનાર દાનના રૂપિયા થી જલસા કરીએ..

કારણ કે આવા મફતના રૂપિયા ક્યાં થી મળે..તેને માટે જ નવરા થઇ ગયા છે..બીજા કોઈ કામ નથી..કારણ કે અહી તો બે કામ થાય , રૂપિયા પણ મળે અને સમાજ માં હીરો થવાય, બધા ઓળખાતા થાય..
ના..ના.. એવું નથી પણ તે બધાને ખબર છે કે લાખો-કરોડો રૂપિયા તો આમ જ મળશે..
જો સત્પંથની ખોદણી કરશું તો.. 
કારણ કે સદ્ગુરુ શ્રી અને મહાપ્રભુ શ્રી નીસ્ક્લાનકી નારાયણ ના આશીર્વાદ થી, સત્પંથી પહેલે થી જ આર્થિક રીતે સુખી છે. 
અને દસુન્દ- દાન આપવાની ભાવના પહેલે થી જ રાખે છે.,, 

આપણા વાળા પાસે રીતસરની ભીખ માગવી પડે છે.. તેમ છતાં રૂપિયા ભેગા નથી થતા..

હજુ વધુ પોલ ખોલીસું બીજી વખત.. 
સમાજના દુશ્મનો ની પોલ-ખોલ કાર્યક્રમ
બધાની સચાઈ ખોલીસ..બધાને નાગા કરીશ જે સમાજના દુશ્મન છે અને મુર્ખ બનાવવા નીકળી પડ્યા છે...




- Hasmukh Patel,
London



===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

0 comments:

Post a Comment

કોઈ તો વાંચે છે .



આપ શું માનો છો વર્તમાન પ્રમુખ સાહેબ ને પોતાના પદ થી રાજીનામો આપી દેવો જોઈએ ?

????

Blog Archive