SATPANTHI'S BLOG

સત્ય નિ હુંકાર

(10). આપડી વચ્ચે પહેલો ઈમૈલ છે, આશા રાખું કે વિવેકથી ચર્ચા કરશું

JAY GURUDEV TO ALL DHARM PREMI,

ચેતવણી: (( મને આશા છે કે પેલો માનસિક બીમાર મારા અને તમારા આ email નો પણ વિચિત્ર મતલબ કાઢી ને પોતાના વિકૃત વિચારો ને વિકૃતિક  રીતે રજુ કરશે જ. આ તમોને બધાને જાણ માટે..જ ..કારણ કે

તમોને ધ્યાનમાં રહે કે આજ કળયુગમાં આપડા આ પવિત્ર વૈચારિક હવનમાં હાડકા નાખી તેને અભદ્ર કોણ રાક્ષસ કરે છે, જેથી આપડી સમાજમાંથી રાક્ષસી વૃતિ અને મેલી મુરાદ વાળા રાક્ષસોને સમયથી પેહલા

ઓળખી લયીયે, જેથી સમાજ ને નુકસાન થતું બચી જાય  . ))
 
ભાઈ શ્રી,
 
જય નિષ્કલંકી નારાયણ,
જય લક્ષ્મીનારાયણ,
જય શ્રી રામ,
જય ગુરુદેવ,
જય ઉમિયા માં,
 
આ આપડી વચ્ચે પહેલો ઈમૈલ છે, આશા રાખું કે વિવેકથી ચર્ચા કરશું.
 
 તમે આ નીચે નિતેશભાઈ ને કયા ધર્મ ની અને કયી ભાષા ના શબ્દોની વાત કરો છો અને લખો છો???
મુમના પંથ, મૃત્યુ પછી દાટવા ની ક્રિયા, અલ્લાહ, બીબી ફાતમા, અલી,નમાઝ, મહોમદ, રહેમાન, મુમનાની મધરાતની પૂજા???????
 
ભાઈ શ્રી, જિજ્ઞાસુ.. જુવો, હું જન્મથી સત્પંથી છું અને સત્પંથ ધર્મની વિચાર-ધારામાં શ્રદ્ધા રાખું છું. બાપ-દાદા તરફથી આ મહાન ધર્મ મળેલો છે...

સત્પન્થમાં વર્ષોથી હૃદયથી કાર્યશીલ છું..માટે આશા રાખું  કે સત્પંથ વિશે નબળું ના બોલ્સો કે ના લખશો..સમજવાની જીજ્ઞાશાથી ચર્ચા કરવી.. મજાક નહિ, નિંદા નહિ, દુખ થાય તેવું નહિ..ok ..

હું તમારી કોઈ પણ ધર્મ ના વિચારોમાં શ્રદ્ધા હશે, હું નિંદા-મજાક નહિ કરું કે તમને ધર્મનું પરિવર્તન કરવાનું કેવાનો મને વિચાર પણ નહિ આવે. કારણકે ભાવિક, ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે. જેની જેમાં શ્રદ્ધા..  
 
તમે સત્પંથ ધર્મ વિશેનું જ્ઞાન નથી અથવા ગેર સમજણ હોય એવું મને તમારા ઈમેઈલ પર થી લાગે છે..કારણ કે તમે આ કોઈ મુસ્લિમ ધર્મ, મુસ્લિમ ધર્મના શબ્દો વાપરીને સત્પંથ સાથે જોડ્યા છે....

 અને આ મુમના સુ છે?? કયું પ્રાણી છે?? આ બધા નું research કરવાનું રહેવા દયી જો સત્પંથ ધર્મ ના વિષયમાં રસ હોય તો એક વખત પીરાણા જયીને સમજી શકો છો..

અને સાથે પેલા સમાજને ગેરમાર્ગે દોરનાર મુંબઈવાળા માનસિક રોગીને પણ લેતા જજો, તો સમાજનું બહુ જ ભલું થશે, અને તેનું પુણ્ય તમને મળશે.

સમય મળે તો નીચેની વિડીઓ ક્લિપ જોવા વિનંતી..સત્પંથ ધર્મ વિશે થોડીક માહિતી મળી રહેશે..
 
http://www.youtube.com/watch?v=PRY4CgfIONU&feature=youtu.be&a

 
http://www.youtube.com/watch?v=71Q8-XacGEw&feature=youtu.be&a
 
http://www.youtube.com/watch?v=mRsvLJn7GkI&feature=youtu.be&a

http://www.youtube.com/watch?v=soXo-e50iUU&feature=youtu.be&a

 
તમે આગળ ના બધા email માં સુ લખ્યું છે તે નીચે ના બધા તમારા અને નિતેશભાઈ સાથે ના email વાંચી જશો, જો ભૂલી ગયા હોય તો..
 
સૌથી પહેલા જણાવું કે આટલી ઉંમરમાં, આખી જિંદગીમાં આ બધા શબ્દો પહેલી વાર તમારી પાસેથી સાંભળવા અને વાંચવા મળ્યા છે.

અને આવી જ ગેર સમજણ પેલા મુંબઈના માનસિક રીતે બીમાર ભાઈને અને તેના જેવાને પણ છે..તે પણ ક્યારેય ના સાંભળ્યા હોય તેવા શબ્દો, જેવાકે તકિયા, કલ્મા, નમાઝ, દુવા, દૂધ માં ને દહીંમાં વગેરે જેવા શબ્દો વાપરે છે...

અહી માટે જણાવું કે સત્પંથ ધર્મને કે સત્પન્થીઓને આની સાથે કોઈ લેવાદેવા નથી..આતો મુસ્લિમ શબ્દો હોય તેવું લાગે છે, ઉર્દુ શબ્દો હોય તેવું લાગે છે.  
- Hide quoted text -
 
અને રહી વાત ભૂમિ-દાગની ( તમારા સબ્દોમાં દાટવું ), ગણા તેને સમાધિ આપવી શબ્દ પણ વાપરે છે ..ok ..

તો વાત છે વેદની..દરેક હિન્દુને દરેક વેદના જે તે વારા પ્રમાણે જીવન જીવવાનું કહેવામાં આવ્યું છે....
 
૧. પહેલા કર્તાયુગ (સતયુગ )માં ઋગ્વેદનો વારો હતો અને તે વેદમાં કહ્યા પ્રમાણે, ત્યારે જળ દાગ અપાતો.
૨. બીજા ત્રેતાયુગમાં યજુર્વેદનો વારો હતો અને તે વેદમાં કહ્યા પ્રમાણે, ત્યારે વન દાગ અપાતો.
૩. ત્રીજા દ્વાપર યુગમાં સામવેદમાં કહ્યા પ્રમાણે ત્યારે અગ્નિ દાગ અપાતો.
૪. અને આજ કળીયુગમાં અથર્વવેદમાં કહ્યા પ્રમાણે ભૂમિ દાગ અપાય છે.
 
માટે જ હિંદુ ધર્મના આપણા કોઈપણ સાધુ કે સંત પોતાને ભુમીદાગ આપવો તેવું કહે છે..તે તમારી જાણ માં હશે..અને સદગુરુ શ્રીએ દરેક સત્પન્થીને સત ના પંથ ઉપર ચાલવાનો ઉપદેસ આપી

દરેક સત્પન્થીને ઋષિવરો અને મુનિવરો કહ્યા છે. તેનો મતલબ થાય છે કે દરેક સત્પંથી કર્મે અને ધર્મે બ્રાહ્મણ છે અને તેથી તે ઋષિ-મુની જેવા છે.

અને આખો સત્પંથ ધર્મ અથર્વવેદ ઉપર રચાયેલો છે.. તે પછી તેનો કોઈપણ કર્મકાંડ હોય..જેવો કે બાળક ના જન્મથી કરી ને પૂજા વિધિ હોય કે લગ્ન વિધિ હોય કે પછી માણસનો

અંતિમ સમય તેના મૃત્યુનો હોય..એટલે આજ કળીયુગમાં અથર્વવેદ પ્રમાણે દરેકે ભુમીદાગ.

       તે તમારી જાણ માટે..ગેર સમજણ દુર કરવા માટે..આશા રાખુકે ગેરસમજણ દુર થયી ગયી હશે. માટે મહેરબાની કરીને ફરી આવી

ગેરસમજણ ઉભી કર્યા પેહલા પૂરી માહિતી લયીને જ ચર્ચામાં ઉતરવું..નિંદા-મજાક કરવી નહિ.
 
મને મારા દેશ માટે,
મને મારી જન્મ ભૂમિ માટે,
મને મારી ભાષા માટે,
મને મારા ધર્મ માટે,
મને મારી સમાજ માટે,
મને મારી જ્ઞાતિ માટે,
મને મારા માં-બાપ માટે
ગર્વ અને અભિમાન છે.... અને દરેક ને હોવો જ જોઈએ....
 
ભલે ભાઈ, પવિત્ર વિચારોની ગંગા વહેતી રાખીએ અને તેમાં આપણે બધા નાહીને પવિત્ર થયીયે અને આપણી સમાજ ને પણ પવિત્ર કરીએ,

જેની આપડા બધા ની સરખી જવાબદારી છે.. અને આપડી સમાજ નું દેશ ની બીજી સમાજો પણ ઉદાહરણ લે તેવો આપણે બધા ભેગા થયીને પ્રયત્ન કરીએ.
 
ફરી થી એક વાર ચેતવણી : (( પણ મને આશા છે કે પેલો માનસિક બીમાર મારા આ email નો પણ વિચિત્ર મતલબ કાઢી ને પોતાના વિકૃત વિચારો ને વિકૃતિક  રીતે રજુ કરશે જ.

આ તમોને બધાને જાણ માટે..જ ..કારણ કે તમોને ધ્યાનમાં રહે કે આજ કળયુગમાં આપડા આ પવિત્ર વૈચારિક હવનમાં હાડકા નાખી તેને અભદ્ર કોણ રાક્ષસ કરે છે,

જેથી આપડી સમાજ માંથી રાક્ષસી વૃતિ અને મેલી મુરાદ વાળા રાક્ષસોને ઓળખી લયીયે. ))
 
એજ સહુ નું ભલું થાય તેવી આશા અને ઈશ્વરને પ્રાર્થના..  

જય લક્ષ્મીનારાયણ,
જય શ્રી રામ,
જય નિષ્કલંકી નારાયણ,
જય ગુરુદેવ,
જય ઉમિયા માં,



 -HASMUKH DHOLU
LONDON


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

0 comments:

Post a Comment

કોઈ તો વાંચે છે .



આપ શું માનો છો વર્તમાન પ્રમુખ સાહેબ ને પોતાના પદ થી રાજીનામો આપી દેવો જોઈએ ?

????

Blog Archive