SATPANTHI'S BLOG

સત્ય નિ હુંકાર

(A). આપણી સમાજ માટે એક જ અવાજ ઉઠાવીએ ..!!!


વહાલા ભાઈઓ અને બહેનો,


આ છે આપણા દરેકમાં આવેલી જાગ્રતતા જેની આપણ ને બધાને ગણા સમય થી જરૂર હતી !!! અને તમોએ તે જાગ્રતતા બિલકુલ જરૂરી સમય ઉપર કરી બતાવી !!

 તમારો બહુ જ ગણો ગણો હૃદય પૂર્વકનો આભાર માનીએ છીએ, અમારી સ્થાનિક સમાજના દરેક સભ્યો દ્વારા..

હા, તમે સાચા છો, અમો છેક પહેલાં દિવસથી તેમનું બધાનું નિરીક્ષણ કરીએ છીએ કે
આ લોકો અને તેમની ટોળકીનું વાણી-વર્તન અને બધી જ ગેર કાયદેસર પ્રવૃતિઓ આંતકવાદીઓ જેવી જ છે.. 

તેઓ આપણા સમાજમાં આંતકવાદ અને ભય ફેલાવે છે,

સીધી રીતે અને આડકતરી રીતે, અને આ બિલકુલ ગેર કાયદેસર છે ભારતના માનવતાના કાયદાની વિરુધમાં !!


પહેલાં દિવસ થી આપણે બધા જોઈએ છીએ કે તેઓ ને આપણી સમાજનો, દેશના કાયદાનો, ભારતના કાયદાકીય બંધારણ અને વ્યવસ્થાનો કોઈ જ ડર નથી..

આનો મતલબ થાય છે કે તેઓ આ આપણા આદર્શ સમાજ માટે નુકસાન કારક છે માટે આ પવિત્ર સમાજમાં રહેવા માટે તેઓ લાયક જ નથી..

અને તેઓ બધાને આપણે આપણી સાથે, આપણી સમાજમાં અને આપણી નાતમાં રહેવાની પરવાનગી જ ના આપવી જોઈએ..

અમોને એ આશ્ચર્ય થાય છે..પણ અમોને ચોક્કસ ખાતરી છે કે, કમનસીબે તેઓ ને આવા કામ કરવા માટે

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ રામજી કરમસી નાકરાણીનો પૂરો ટેકો અને સાથ સહકાર છે.. 

પ્રમુખ અને બીજા બની બેઠેલા વહીવટદારોએ મોટા પ્રમાણમાં  તેમના હોદ્દાઓનો દુર-ઉપયોગ કર્યો છે...

નહિ તો  ફક્ત થોડા જ ગુનેગાર જેવા ગુનાહિત વૃત્તિઓ ધરાવતા લોકો આટલા મોટા પ્રમાણ માં સમાજની અંદર ગેર કાયદેસર

પ્રવૃતિઓ ના જ કરી સકે અને એ પણ આપણા આ મહાન લોક-તાંત્રિક દેશ ભારતમાં કે જે દુનિયા નો સૌથી પહેલો દેશ છે કે

જ્યાં વિવિધ સંસ્કૃતિઓ, વિવિધ ભાષાઓ અને વિવિધ ધર્મોને પ્રાધાન્ય અપાયું છે..
માનવતાના ધોરણો ને ક્યાય અન્યાય ના થાય માટે કાયદા અને મૂળભૂત બંધારણો પણ માનવ અધિકારો ઉપર જ બનેલ છે.

પણ હવે જેમ આપણ ને બધાને પૂરી ખાતરી થઇ ગઈ છે કે આપણે છેતરાયા છીએ, એક પવિત્ર સમાજના જવાબદાર પ્રમુખ

 તરીકેનો હોદ્દો આપવા માં આપણે ખોટા માણસ ને સમાજ નો વહીવટ સોપી દીધો છે,


           મારો કહેવાનો મતલબ છે કે આપણા વહીવટદારોમાં ઊંચા હોદ્દામાં બેઠેલા આવા અમુક જણા લાયસન્સ વગરના Drivar જેવા છે,

જેમને ગાડી ચલાવવા ના અપાય..જો આપીએ તો ગાડી અથડાવતો જાય, ને રોડ ઉપર ના માણસોને તો મારતો જાય,

 પણ ગાડીમાં આપડા જેવા બેઠેલાને પણ મારતો જાય..
જેમ અત્યારે સમાજની ગાડી ચલાવતા આ થોડા વહીવટ માટે લાયક નથી તેવા આખી સમાજની ગાડી ને પોતાના બાપની જાગીર હોય
તેમ અથડાવતા જાય છે અને આપણ ને બધાને મારતા જાય છે..!!

          જેમને તેમના ઘરનો વહીવટ કરતા પણ નથી આવડતો, તેમને આપણે આખી સમાજનો વહીવટ આપવા ની ભૂલ કરી બેઠા છીએ..
સમાજ ને મારવાનું પાપ કરી બેઠા છીએ...પણ ભૂલ તો સુધારી સકાય..અને હવે આપડી ભૂલ સુધારીએ અને તેમની પાસે થી રાજીનામું માંગીએ...
પણ આપણે તો પુરા ભરોસા સાથે આપ્યો હતો, પણ કમનસીબે તેમણે આપણ ને દગો કર્યો છે..આપણ ને દગો થયા ની ભાવના થાય છે..
તેમનો વહીવટ એકપક્ષી છે, સમાજની અંદર એકતા અને સંપ વધારવો જોઈએ, તેના બદલે કેમ કરીને વિભાજન થાય અને લોકો ઝગડતા રહે
અને પોતે વહીવટ કરતા રહે, તેવી ગંદી અને કપટ નીતિના આધારે વહીવટ ચલાવે છે..માટે તેવો ને ભોગે આખી સમાજને નુકસાન થાય
 તે કોઈ સંજોગે ચલાવી લેવામાં નહિ આવે..બહુજ સારા હોશીઅર નીસ્પક્ષી વહીવટદારો આપણી સમાજમાં છે જે બહુ જ કુસળતાથી વહીવટ કરી સકે છે..  

પ્રમુખ પાસે પુરતો અનુભવ નથી તે દેખાઈ આવે છે તેમના ગેર વહીવટ થી..અને તે આપણી સમાજ અને તેના હોદ્દાને પુરા વફાદાર નથી..
          તેઓ સમાજની અંદર મોટા પાયે ચાલતી ગેર કાયદેસર અને ખોટી પ્રવૃતિઓ ને કાબુમાં નથી લઇ શક્યા..પણ ઉપરથી તેવા લોકોને સાથ-સહકાર પણ આપે છે.
આવા આવા તો કેટલાય ગંભીર અને સમાજને માટે નુકસાન કારક કારણો છે કે જેને ગણા લાંબા સમયથી આ બધું આપણે બધા સહન કરીએ છીએ, પણ હવે તો નહિ જ ચાલે...
જેના માટે આપણે બધા રામજી નાકરાણીને પ્રમુખ માટે રાખવા માંગતા નથી, 
અને તેમનું રાજીનામું જોઈએ જ છે..અને તેમણે તેમના નિષ્ફળ વહીવટ અને સમાજના સભ્યોના અસંતોષ માટે રાજીનામું આપવું જ જોઈએ
અને સમાજને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેના માટે માફી પણ માગવી જોઈએ...

અને જો ના આપે તો હવે આપણે બધાએ દબાણ પૂર્વક સમાજના પ્રમુખ રામજી કરમસી નાકરાણી (રાયપુર) નું રાજીનામું માગવું જ જોઈએ..
 સમાજને વધુ નુકસાન થાય તે પહેલાં..

અને બીજા કોઈ તટસ્થપણે સારો વહીવટ કર્તાને અને ખોટું કરતા હોય તેમના ઉપર અંકુશ રાખી સકે, તેમને જ આપણી આ મહાન અને પવિત્ર સમાજના પ્રમુખ બનાવીએ..
જેથી સમાજમાં અત્યારે થોડા સમય થી જે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે ને  અશાંતિ થઇ છે તે પાછી શાંતિ આવે અને બધાના અંદર આનંદ પાછો આવે.
અત્યારે એક બીજા માં વેર ભાવના, રાગ-દ્વેસ, નિંદા, કપટ ભાવના, મારી-તારી અને તેના લીધે માણસ-માણસ વચ્ચે અંતર વધતું જાય છે..અને ધર્મ ક્યારેય આ સીખ્વાડતો નથી..
 આ બધું આપણી સમાજના અમુક વર્ગમાં દેખાય છે, જે આપણી સમાજમાં ના શોભે ,
તેના માટે પ્રમુખ જ અને તેની આ બધી ગુનેગાર ટોળકી જ જવાબદાર છે.
માટે કરી ને તેમને બધાને આપણે તાત્કાલિક પણે ખસેડવા જોઈએ..સમાજનો વિનાસ અને વધુ નુકસાન થાય તે પહેલાં...


અને આવા ગંભીર કારણો માટે આ બધા આંતકવાદી જેવી માનસિકતા ધરાવતા થોડા જ માણસો, જલ્દી જ આપણી સમાજની એકતા અને અખંડીતતા ને ચોક્કસ તોડી નાખશે..
જો આપણે તેમના વિરોદ્ધ માં કોઈ જરૂરી પગલા નહિ ઉઠાવીએ તો..કારણ કે તેમની બધી જ પ્રવૃતિઓ અને વાણી-વર્તન ઝગડા કરાવનારું અને નુકસાન કરનારું છે,
સમાજ માટે અને સમાજના વ્યક્તિગત સભ્યો માટે પણ..જેમ આપણે બધા જ જાણીએ છીએ કે આ બધું જ પૂરેપૂરું કાયદાના વિરુદ્ધની પ્રવૃતિઓ છે..

માટે તેવું કરનાર અને તેમને સાથ આપનાર બધા જ ગુનેગાર થયા..પછી તે સ્વેત-પત્રને સમાજમાં સહી કરાવતા હોય કે ૧૮-૧૯ મો ઠરાવ હોય,
કે બીજા સ્થાનિક સમાજમાં દાદાગીરીથી પોતાની મેળે બનાવેલા ઠરાવો હોય..આમાં સાથ આપવો કે અપાવવો..સ્વેત-પત્ર ભરવું કે ભરાવવું..
તેની મિટિંગમાં ચર્ચા કરવી કે તેવું કરવાની સલાહ આપવી પણ ગેર-કાયદેસર છે..
કારણ કે ભારત એક લોકશાહી અને બિનસંપ્રાદાઇકતાને  મહત્વ આપતા કાયદાઓ અને બંધારણોની રચના ધરાવતો દેશ છે...
માટે તેમાં આવેલી કોઈ પણ પ્રકારની પ્રવૃતિઓ કરતી સંસ્થા, કંપની, trust,
વ્યક્તિ, સરકાર, unity, સંગઠન બિનસમ્પ્રાદાઇક જ હોય અને તેમને ભારતના કાયદા અને મૂળભૂત બંધારણ ને ધ્યાનમાં રાખી ને જ તેના ઠરાવો કે વહીવટ કરવો પડે..
માટે આપણા સમાજના બનાવેલા આ ઠરાવો બિલકુલ ગેર કાયદેસર છે..અત્યારે ચાલતો આ વિષયનો વહીવટ ગેર કાયદેસર છે..!
માટે કોઈએ આમાં સાથ-સહકાર ના આપવો, તેવું કરવું એ ગુનો છે, અને એ સજાને પાત્ર છે...


તેઓ કેવી રીતે પોતાના હોદ્દાનો દુર ઉપયોગ કરીને કોઈ ને પણ શારીરિક કે માનસિક ત્રાસ આપી સકે ?? અમોને તો તે જ નથી સમજાતું..
પણ તેઓ સુવર્ણ-મહોત્સવમાં, સમાજની મીટીંગોમાં, સામ-સામે, ઈમેલથી, ફોન ઉપર, TVના ઇન્ટરવ્યુ ના રૂપે,  સ્ટેજ ઉપર, જાહેરમાં,
ધર્મ સભાના બહાને, ધાર્મિક ઉત્કર્ષ સમિતિના બહાને,
દાબ-દબાણ કરે છે, ધમકાવે છે અને ગેર વર્તણુક કરે છે ફક્ત અને ફક્ત સતપંથ ધર્મની
વિચારધારામાં આસ્થા ધરાવનાર અને સતપંથના મહાન તત્વ-જ્ઞાનને ( Phylosophy ) માનનારા ને જ...!??

કારણ કે સમાજના પ્રમુખ રામજી કરમસી નાકરાણી પોતે સતપંથ ધર્મ માં આસ્થા નથી ધરાવતા માટે..
માટે તે સીધી રીતે અને આડકતરી રીતે ધર્મ પરિવર્તન કરવાનું દબાણ જ કરે છે..
તે પોતાનો ધર્મ પાળવાનું દબાણ કરે છે, નહિ તો સમાજમાંથી કાઢી મેલ્સું તેવી ધમકી આપે છે...!!

અને પાછા હોશિયારીનું કામ કરતા હોય તેમ કહે છે કે આતો સમાજની નીતિ સ્પષ્ટ કરે છે....
પણ હું કહીસ કે આ નીતિ નથી આ તો અનીતિ સ્પષ્ટ કરે છે..
ફક્ત અને ફક્ત પોતાની અને તેને સાથ આપનારા કે જે આમાં સંડોવાયેલા છે તેમના જ સ્વાર્થ માટે કરે છે..
અને આખી સમાજની જરા પણ ચિંતા નથી કરી..
કે આવા પગલા ભરવાથી સમાજની અંદર શું પ્રતિભાવ પડશે.!!
આને હું અધુરીઓ અને ઉતાવળીઓ કહીસ..
જે પોતાની આજુ-બાજુના થોડા માણસોના પ્રભાવ માં આવી ને આવા ખોટા નિર્ણયો લે છે..
પણ  બીજી રીતે જોવા જઈએ તો તે પણ નાનું બાળક નથી કે આટલી પણ ખબર ના પડે ?
પણ આતો છલ-કપટ કરવાના ઈરાદા પૂર્વક મોટાપાયે ધર્મ પરિવર્તન કરાવવા માટે કરેલ છે..
અને તેની આ ટોળકીને પણ હું ખુલી ચેતવણી આપું છું કે તમો બધા જ ગુનાહિત પ્રવૃતિઓ કરી છે, 
અને અનેક વખત સમજાવવા છતાં આ બધી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવાનું બંધ નથી કરતા માટે તેની કાયદેસરની કાર્યવાહી માટે તૈયાર રહેજો..
..  તેમણે પોતાની જાતે જ પોતાના પગ ઉપર કુહાડો મારવાનું કામ કર્યું છે..

વિનાસ  કાળે વિપરીત બુદ્ધિ..!!

આ જે ગેરકાયદેસર પ્રવૃતિઓ કરે છે તે બધાના મારી પાસે, મારા વકીલ પાસે અને સરકારના જે તે ડીપાર્ટમેંટ પાસે પૂરતા પુરાવાઓ છે,

અને હજુ બીજા ભેગા કરવાનું ચાલુ જ છે..

DVD ના રૂપે, CDના રૂપે, AUDIO કેસેટ , સહી કરેલા સ્વેત-પત્ર, ૧૮-૧૯ માં ઠરાવો, અને આવા આવા તો કેટલાય ગેરકાયદેસર રીતે

કેન્દ્રિય સમાજમાં અને સ્થાનિક સમાજોમાં સહી કરેલ ઠરાવો અમારી પાસે છે..આવા તો બીજા પણ કેટલાય છે પણ હું અહી અમુક કારણો માટે થઇને  રજુ નથી કરી સકતો..


 આવા આ બધા લોકોને પોતાના છલ-કપટ વાળા કામો માટે સફળતા મેળવે તેના પહેલા,  આ જ ખરો સમય છે સમાજના દુશ્મનો ની વિરુદ્ધમાં કાયદેસરના પગલા ભરવા માટેનો..


અને લાતો મારીને આ સમાજના દુસ્માનોને સમાજ માંથી કાયમ માટે આપણે જ કાઢી મેલીએ કે જેથી આવા ફરી વાર ઉભા નાં થાય..

અને સમાજની અંદર સુખ- શાંતિ રહે ..સમાજને અખંડિત રાખીએ..


આપણી બધાની જ સરખી ફરજ બને છે..આપણે જો થોડું થોડું પણ ધ્યાન દઈશું તો જ આ બળજબરી પૂર્વક ઉભા કરેલા ખોટા ખોટા પ્રશ્નોને હમેસા માટે મિટાવી સક્સું..


 આપણા આ મહાન સમાજના પવિત્ર, નિર્દોષ, અને વિશ્વાસુ ભાઈઓ અને બહેનોની સાથે આ લોકોને તેમની ગંદી રાજનીતિની રમતમાં અને તેમના મેલા ઈરાદા માં થોડી સફળતા જરૂર મળી છે

અને આ બધા તેમના ખોટા ઈરાદાઓ આપણે બધા તે સ્પષ્ટ જોઈ શકીએ છીએ..
 તો મારા ભાઈઓ અને બહેનો, 

મહેરબાની કરીને અમો, જે આ ઈમેલ વાંચે છે તે બધાને હૃદયપૂર્વક વિનંતી કરીએ છીએ કે ગણા બધા જાગ્રત થયા છે તેમ તમે પણ બધા જાગો,

પાણી વહી જાય તે પહેલા આપણે પાળ બાંધવી જ પડશે..!!

મહેરબાની કરીને તમોને પ્રાર્થના છે કે આપણે બધા અને સમાજ નાના નાના ટુકડાઓમાં કાંકરો-કાંકરો થઇ જઈએ તે પહેલા આપણે બધા

એક જ અવાજે આ બધી ગેર કાયદેસર ચાલતી પ્રવૃતિઓને રોકીએ અને કરનાર ને હટાવીએ...


આપણી સમાજને  અખંડિત રાખવાની જવાબદારી  આપણી પોતાની છે, અને તેને કોઈ બીજા ઉપર ના નાખી દેતા આપણે જ તે જવાબદારી ઉઠાવી

લઈએ અને એક ઉદાહરણ ઈતિહાશમાં મુકીએ કે સમાજનું અહિત કરનારની સુ હાલત થાય છે...


 અત્યારે જો આપણે પગલા નહિ ભરીએ તો આપણે હમેસ માટે આપણી જાગીરતા, તબિયત, એકતા-સંપ, ધ્યેય અને એક-બીજા માટે નો આદર ગુમાવાસુ ...
 એક-બીજા માટેની માન-મર્યાદા ગુમાવાસુ ..!!

આપણે આપણી સંસ્કૃતિ, આપણા બાળકો અને સંસ્કાર પણ ખોઈસુ..

 નહીતો આવા લોકોને તેમના કામોમાં સફળતા મળશે અને ભવિષ્યમાં  આપણા જ બાળકો અને આવતી પેઢી આપણને ધુત્કારસે ને નફરત કરશે.. 

જો આપણે અત્યારે કાઈ જ નહિ કરીએ તો..


 મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,

પ્રાર્થના સાથે વિનંતી કરું છું કે હવે આપણે આપણી માનસિકતાને હમેસા માટે બદલવી પડશે...ફક્ત

" મારું જ ઘર ચોખું ને મારું આંગણું ચોખું "

તેમાંથી બહાર નીકળીને

" આપણા બધા નું જ ઘર ચોખું ને આંગણું ચોખું " રાખવાની વિચારસરણી આપણે કેળવવી પડશે તેવી પ્રાર્થના છે.

આપણી સમાજ એક જ તાંતણે  બંધાઈ રહે અને અખંડિત રહે તેના માટે આપણે બધા અત્યારે જે કરીએ છીએ તેના થી પણ વધુ કરવું પડશે જ..તો જ પરિણામ મળશે..

 આપણી સમાજ માટે એક જ અવાજ ઉઠાવીએ ..!!!

 તમારા વિચારો અને અભિપ્રાય મને જો લખીને મોક્લાવાસો તો તમારો હું આભારી રહીશ..



સૌનો હિતેછું,


હસમુખ પટેલ, લંડન


===============================================================================================
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
===============================================================================================

0 comments:

Post a Comment

કોઈ તો વાંચે છે .



આપ શું માનો છો વર્તમાન પ્રમુખ સાહેબ ને પોતાના પદ થી રાજીનામો આપી દેવો જોઈએ ?

????